બાગાયત ખાતા દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ કેળ ટિસ્યુ માટે સહાય
April 28, 2023
ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગો માટે અલગ-અલગ યોજનાઓ ચલાવવામાં આવે છે. વિવિધ યોજનાઓ online portal ચાલે છે. જેમ કે ખેડૂતો માટે ikhedut portal પર યોજનાઓ ચાલે છે, સમાજ કલ્યાણની યોજનાઓ માટે E Samaj Kalyan ચાલે છે. વધુમાં ગ્રામોદ્યોગની વિવિધ યોજનાઓ e-kutirPortal પર ચાલે છે. આજે આ આર્ટિકલ દ્વારા તાજેતરમાં ikhedut પર વર્ષ ૨૦૨૩-૨૪ માટે ચાલુ કરવામાં આવેલી બાગાયતી વિભાગની યોજનાઓની માહિતી આપીશું.
રાજય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવેલ છે. ikhedut Portal પર વિવિધ પ્રકારની યોજનાઓ ચાલે છે. જેવી કે ખેતીવાડીની યોજના, પશુપાલનની યોજનાઓ તથા બાગાયતી વિભાગ વગેરે ચાલે છે. આઈ ખેડૂત પોર્ટલ પર તાજેતરમાં વિભાગ દ્વારા બાગાયતી યોજના ગુજરાત ૨૦૨૩-૨૪ ચાલુ કરેલ છે. બાગાયતી વિભાગ દ્વારા ખેડૂતોના કલ્યાણ અને વિકાસ માટે ૭૪ થી વધુ યોજના ઓનલાઈન મૂકવામાં આવેલ છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે, જે તારીખ 31 મે સુધીમાં લાભ લેવા ખેડૂતોને અનુરોધ સરકારશ્રીએ કર્યો છે.
Bagayati Yojana Gujarat 2023 હેઠળ આ યોજનાનો લાભ આપવા માટે લાભાર્થીઓની પાત્રતા નક્કી કરેલી છે. બાગાયતી યોજનાઓનો લાભ લેવા માટે નીચેની મુજબની પાત્રતા નક્કિ થયેલી છે.
ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
નાના, સિમાંત, મહિલા, અનુસુચિત જાતિ,અનુસૂચિત જન જાતિ,સામાન્ય અને અન્ય ખેડૂત લાભાર્થીઓને આ યોજનાઓને લાભ મળશે.
લાભાર્થી ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ.
ખેડૂત લાભાર્થીએ આ યોજનાનો લાભ લેવા I khedut portal પરથી Online Arji કરવાની હોય છે.
• DBT દ્વારા માન્ય/એક્રીડેશન થયેલ ટીસ્યુ લેબ, GNFC, GSFC, કૃષિ યુનિ.ની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સાહસ સંસ્થાઓ પાસેથી પ્લાન્ટીગ મટેરીયલ ખરીદ કરવાનું રહેશે. • ૨ હપ્તા (૭૫:૨૫)માં સહાય મળવાપાત્ર થશે. • અનુ. જાતિ/અનુ. જન જાતિ સિવાયના જે ખેડૂત ખાતેદાર ૧ હે. થી વધુ વિસ્તારમાં સહાયનો લાભ લેવા માંગતા હોય તો તે માટે માઇક્રો ઇરીગેશન સીસ્ટમ (M.I.S.) ફરજીયાત અપનાવવાની રહેશે. • જે તે ખેડૂત ખાતેદારે બાગાયતી પાકોનાં વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ કરાવવાની રહેશે. વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ ન થાય ત્યાં સુધી જે તે વિસ્તારના તલાટીનો તે બાબતનો દાખલો ખેડુતે રજુ કરવાનો રહેશે. • નવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.જે માટે GGRC નો સંપર્ક કરવાનો રહેશે. • રાજય સરકારશ્રીની વધારાની ૧૫%પુરકસહાય ફ્કત વાવેતર માટે જ આપવાની રહેશે. • લાભાર્થી દીઠ ૪ હે. ની મર્યાદામાં
• DBT દ્વારા માન્ય/એક્રીડેશન થયેલ ટીસ્યુ લેબ, GNFC, GSFC, કૃષિ યુનિ.ની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સાહસ સંસ્થાઓ પાસેથી પ્લાન્ટીગ મટેરીયલ ખરીદ કરવાનું રહેશે. • ૨ હપ્તા (૭૫:૨૫)માં સહાય મળવાપાત્ર થશે. • અનુ. જાતિ/અનુ. જન જાતિ સિવાયના જે ખેડૂત ખાતેદાર ૧ હે. થી વધુ વિસ્તારમાં સહાયનો લાભ લેવા માંગતા હોય તો તે માટે માઇક્રો ઇરીગેશન સીસ્ટમ (M.I.S.) ફરજીયાત અપનાવવાની રહેશે. • જે તે ખેડૂત ખાતેદારે બાગાયતી પાકોનાં વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ કરાવવાની રહેશે. વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ ન થાય ત્યાં સુધી જે તે વિસ્તારના તલાટીનો તે બાબતનો દાખલો ખેડુતે રજુ કરવાનો રહેશે. • નવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.જે માટે GGRC નો સંપર્ક કરવાનો રહેશે. • રાજય સરકારશ્રીની વધારાની ૧૫%પુરકસહાય ફ્કત વાવેતર માટે જ આપવાની રહેશે. • લાભાર્થી દીઠ ૪ હે. ની મર્યાદામાં
અરજી કરવાનો સમયગાળો તા ૨૨/૦૪/૨૦૨૩ થી ૩૧/૦૫/૨૦૨૩ સુધીનો છે. અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ લઈ આપેલ સાધનિક કાગળો આપના જિલ્લાની નાયબ/મદદનીશ બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે મોકલી આપવા અનુરોધ કરવામાં આવે છે.
નોંધ- અહી આપેલ માહિતી આઈખેડૂત પોર્ટલ તેમજ અન્ય વેબસાઈટ પરથી મેળવી આપને આપવામાં આવેલ છે જે અમારી જાણ મુજબ સંપૂર્ણ સાચી છે. તેમ છતાં આપે આ માહિતી આઈ ખેડૂત પોર્ટલ પર ચકાસીને અરજી કરવા જણાવવામાં આવે છે. વધુમાં અહી આપેલ દરેક માહિતીનો ઉપયોગ આપ દ્વારા યોગ્ય નિષ્ણાંતના સૂચનથી કરવા માટે આપને સલાહ આપવામાં આવે છે. આભાર
0 Comments